કુંડલિની શું છે? અને કેવી રીતે જાગૃત થઈ શકે?
આપણે કોસ્મિક એનર્જીથી ઠસોઠસ ભરેલા બ્રહ્માંડ માં રહીએ છીએ, પાણીમાં માછલીની જેમ રહીએ છીએ, છતાં તરસ્યા રહીએ છીએ, કેમકે આ કોસ્મિક એનર્જી સાથે આપણે કનેક્ટ થઈ શકતા નથી. કુંડલિની શક્તિ એ માનવ શરીર માં રહેલી સુષુપ્ત અદ્રશ્ય શક્તિ છે. જે આપણને આ કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ થવામાં સહાયક કરે છે. અગર એ શક્તિ root chakra મૂલાધાર ચક્ર થઈ crown chakra સહસ્ત્રધાર ચક્ર સુધી પહોંચે, તો એ વ્યક્તિ ની મગજ ની શક્તિ વધી જાય છે. અત્યારે આપણે બ્રહ્માંડ ની કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ નથી થઈ શકતા, પણ કુંડલિની શક્તિ સહસ્ત્રધાર ચક્ર સુધી પહોંચે એટલે આપણે આ બ્રહ્માંડ ની કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ થઈને રિચાર્જ થઈ જઈએ છીએ. અત્યારે આપણે મગજની શક્તિ નો 1 કે 2 ટકા ઉપયોગ કરીએ છીએ. એના કરતાં વધારે આ મગજની શક્તિ ની ઉપયોગ કરી શકીએ, તો આપણું જીવન ઘણું સારું થઈ શકે.
કુંડલીનિ શક્તિ એ માણસ ના મગજ ની પેદાશ નથી, પણ હજારો યોગી ઓ દ્વારા સાધના ની ઉચ્ચ અવસ્થા માં ખોજ કરાયેલી વૈજ્ઞાનિક શોધ છે. જે ધ્યાન કરે છે, તે વ્યક્તિ ની પણ કુંડલિની શક્તિ વહેલા મોડા જાગૃત થાય જ છે. ત્યાર પછી એને કુંડલિની ના એકસપાર્ટ સિદ્ધ ગુરુની જરૂર પડે છે.
કુંડલિની જાગૃતિ ત્રણ રીતે થઈ શકે.
- પોતાની ધ્યાન સાધનાથી
- અચાનક શરીર માં કોઈક મોટો ફેરફાર આવવાથી
- સિદ્ધગુરુ દ્વારા શક્તિપાત ની કૃપાથી